ગુજરાતમાં 1 હજારથી વધુ કોરોનાના એક્ટિવ કેસ: આજે કોરોનાના નવા 235 કેસો નોંધાયા, 33 હોસ્પિટલમાં દાખલ; 1076 લોકો opd બેઝ સારવાર હેઠળ - rajkot news

Play all audios:

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર 9 જૂન સુધી ગુજરાતમાં કુલ 1109 કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા હતા. જેમાંથી 33 હોસ્પિટલમાં દાખલ છે, 1076 લોકો OPD બેઝ સારવાર હેઠળ છે
જ્યારે 106 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરા . વડોદરામાં 48 કલાકમાં નવા ત્રણ દર્દીઓ નોંધાયા આજરોજ વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં ધીમે-ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા
48 કલાકમાં નવા ત્રણ દર્દીઓ નોંધાયા છે. હાલ શહેરમાં કોરોના કેસનો આંકડો 25 પર પહોંચ્યો. શહેરના પૂર્વ વિસ્તારમાં 4, પશ્ચિમમાં 12, ઉત્તરમાં 8 અને દક્ષિણ વિસ્તારમાં 1 કેસ નોંધાયા છે. મહત્વનું છે
કે, હાલના તમામ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. કિશોરીને ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યા છતાં ન બચી ગઇકાલે (8 જૂન) અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની 16 વર્ષીય
કોરોના પોઝિટિવ કિશોરીનું મૃત્યુ થયું છે. તેને કોરોનાની લહેર વખતે દર્દીઓને અપાતા રેમડેસિવિર, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનથી બચાવવા પ્રયાસ કરાયો હતો. ગઇકાલે ગુજરાતમાં 185 નવા કેસ નોંધાતાં રાજ્યમાં
કુલ 980 એક્ટિવ કેસ છે. દેશભરમાં કોરોનાના કેસોમાં ફરીથી આંશિક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 646 એક્ટિવ કેસ અમદાવાદમાં આજે વધુ 131 નવા કોરોના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 916 જેટલા કેસ
નોંધાયા છે જેમાંથી 646 જેટલા એક્ટિવ કેસ છે જ્યારે 268 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મૃત્યુ નોંધાયા છે, જ્યારે શહેરના
પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે. રાજકોટમાં રિકવરી રેટ ખૂબ જ સારો રાજકોટ સિવિલના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોવિડનાં
અત્યાર સુધીમાં જોવા જઈએ તો 102 જેટલા કેસ નોંધેલા છે ગત 24 કલાકમાં 10 પોઝિટિવ કેસ આવ્યા છે. આ ઉપરાંત જે છે સાજા થવાનો રેટ પણ ઘણો બધો વધારે આપણને જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોકો જે છે એ ચોથા
પાંચમાં દિવસે એસિમ્ટોમેટિક એટલે લક્ષણ વિહીન જણાઇ રહ્યા છે. બે દર્દી જ હોસ્પિટલમાં દાખલ છે એમની કો-મોર્બિડ કન્ડિશન છે. આ લોકોને ઓક્સિજન ઘટવાથી દાખલ કરી દેવામાં આવ્યા છે. પરંતુ જોવા જઈએ તો
રિકવરી રેટ ઘણો બધો સારો કહી શકાય 50% ઉપરાંત દર્દીઓ હાલ સક્સેસફુલી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. આવી રીતે કરવામાં આવે છે સારવાર પ્રાઇવેટ અથવા સરકારી લેબોરેટરી દ્વારા કોઈ પણ કેસ પોઝિટિવ કેસ
નોંધાય એટલે આપણા આરોગ્ય શાખાને જાણ કરવામાં આવે છે. આરોગ્ય શાખા દ્વારા તાત્કાલિક જે દર્દીનાં ઘરે પહોંચીને તેનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવે છે આ ઉપરાંત દર્દીની પ્રાથમિક તપાસ કરીને એનું
હેલ્થ ટેસ્ટ સ્ટેટસ જાણવામાં આવે છે. ત્યારબાદ દર્દીને પ્રાઇવેટ અથવા સરકારી જે દવા ચાલુ હોય તે પુરી કરે તે માટેની સૂચના આપવામાં આવે છે. સાથે સાથે દર્દીને ફૂડ અને પાણી અંગે માર્ગદર્શન આપવામાં
આવે છે. ઉપરાંત ઘરના અન્ય સભ્યોમાં ઇન્ફેક્શન ન ફેલાય તે રીતે હોમ આઈસોલેશનમાં રહેવાની પણ સૂચના અને તાકીદ કરાય છે. દરમિયાન રેગ્યુલર દૈનિક ધોરણે છે. તમામ પોઝિટિવ દર્દીઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ અને
હેલ્થ સ્ટેટસનું મોનિટરીંગ આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. આમ સઘન કામગીરીના કારણે દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. સાબરકાંઠાની 16 વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું રવિવારે મોત
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની 16 વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું રવિવારે મૃત્યુ થયું છે. તેને કોરોનાની લહેર વખતે દર્દીઓને અપાતા રેમડેસિવિર, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનથી બચાવવા પ્રયાસ
કરાયો હતો, જોકે તેને કોરોનાની સાથે હિપેટાઇટિસ-બીનું પણ નિદાન થયું હોવાથી હિપેરીનનું ઇન્જેક્શન પણ અપાયું હતું, પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહોતો. શહેરમાં અત્યારે આવી રહેલા
કોરોનાના દર્દીઓમાં કોઈને ટોસિલિઝુમેબ આપ્યાનો આ પ્રથમ કેસ છે. જ્યારે અત્યારસુધીમાં ચાર મહિલાનાં મોત થયાં છે. કિશોરીની હાલત બગડતાં રેમડેસિવિર અને હિપેરીનનાં ઇન્જેક્શન આપ્યાં હતાં સોલા સિવિલના
આરએમઓ ડો. દેવાંગ શાહના જણાવ્યા અનુસાર, સાબરકાંઠાના કોટડાની કોરોના પોઝિટિવ 16 વર્ષીય કિશોરીને 4 જૂને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ફેફસાંમાં ગંભીર ઇન્ફેક્શન અને હિપેટાઇટિસની બીમારીને લીધે
કિશોરીની હાલત બગડતાં રેમડેસિવિર અને હિપેરીનનું ઇન્જેક્શન આપ્યું હતું. શુક્રવારે રાતે તેની હાલત ગંભીર થતાં વેન્ટિલેટર સપોર્ટ પર રખાઈ હતી. હોસ્પિટલે બજારમાંથી રૂ.39 હજારનું 400 મિલીનું
ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ખરીદીને આપ્યું હતું, પરંતુ કોરોના સાથે હિપેટાઇટીસ-બીની ગંભીર અસરથી તેનું રવિવારે સવારે મોત થયું છે. હોસ્પિટલમાંથી 2 વર્ષનું બાળક સ્વસ્થ થતાં તેને રજા અપાઈ રવિવારે
હોસ્પિટલમાંથી 2 વર્ષનું બાળક સ્વસ્થ થતાં તેને રજા અપાઈ છે. હાલ હોસ્પિટલમાં 70, 65 અને 21 વર્ષીય મહિલા મળી 3 દર્દી સારવાર હેઠળ છે. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાંમાં ગંભીર ઇન્ફેક્શનની
સ્થિતિમાં ઝડપથી બહાર લાવવા ટોસિલિઝુમેબનું ઇન્જેક્શન અપાતું હોય છે. 80 એમજી- 4 એમએલ, 200 એમજી- 10 એમએલ Dvs 400Mg-20ML એમ ત્રણ પ્રકારનાં ઇન્જેક્શન આપવામાં આવે છે. સિવિલમાં 2 દર્દી ઓક્સિજન, 1
બાયપેપ સપોર્ટ પર સિવિલ હોસ્પિટલમાં હાલમાં એક મહિલા અને બે પુરુષ સહિત કુલ ત્રણ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે, એમાં 24 વર્ષીય યુવક અને 96 વર્ષના વૃદ્ધ ઓક્સિજન સપોર્ટ પર, જ્યારે 60 વર્ષીય
મહિલા બાયપેપ સપોર્ટ પર છે. છેલ્લા ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી 37 વર્ષીય મહિલા અને 72 વર્ષના પુરુષ દર્દી સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે. 8 જૂન સુધીના ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની
સંખ્યા રાજકોટમાં 2 મહિલા અને 8 પુરુષને કોરોના રાજકોટમાં નોંધાયેલા કેસોમાં 2 મહિલા અને 8 પુરુષનો સમાવેશ થાય છે. અત્યારસુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. નવા કેસની સાથે રિકવરીમાં
પણ ઝડપી વધારો જોવા મળ્યો છે. આજે વધુ 10 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. છેલ્લા 4 દિવસમાં 29 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. અત્યારસુધીમાં કુલ 54 દર્દી હોમ આઇસોલેશનથી કોરોનામુક્ત થયા છે.
હાલ 51 દર્દી સારવારમાં જે પૈકી માત્ર 4 સિવિલમાં દાખલ છે. તમામ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. કોરોનાના કેસમાં વધારા સાથે રિકવરી પણ ઝડપી રાજકોટ શહેરમાં કોરોનાના
કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જોકે તેની સામે રિકવરી રેટમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. આજે વધુ 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 2 મહિલા અને 8 પુરુષનો સમાવેશ થાય છે. આ સાથે શહેરમાં
અત્યારસુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. નવા કેસ ચિંતાનો વિષય છે, પરંતુ આશાની વાત એ છે કે કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આજે વધુ 10 દર્દી
કોરોનામુક્ત થતાં રિકવરી પામેલા દર્દીઓનો કુલ આંક 54 થયો છે. અત્યારસુધીમાં કુલ 54 દર્દી હોમ આઇસોલેશનથી કોરોનામુક્ત છેલ્લા 4 દિવસના આંકડા જોઈએ તો કુલ 29 દર્દીએ કોરોનાને હરાવી સ્વસ્થ જીવનમાં
પાછા ફર્યા છે. આ પૈકી મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં રહીને જ સાજા થયા છે, જે દર્શાવે છે કે રોગની ગંભીરતા ઓછી છે અને યોગ્ય કાળજીથી ઘરે પણ સ્વસ્થ થઈ શકાય છે. અત્યારસુધીમાં કુલ 54 દર્દી હોમ
આઇસોલેશનથી કોરોના મુક્ત થયા છે, જે એક સકારાત્મક સંકેત છે. 51 દર્દી સારવાર હેઠળ હાલ રાજકોટમાં 51 દર્દી સારવાર હેઠળ છે. આ પૈકી માત્ર 4 દર્દીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે
બાકીના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે તમામ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે અને તેમને યોગ્ય સારવાર મળી રહી છે. આ આંકડા દર્શાવે છે કે મોટા ભાગના કેસ ગંભીર નથી અને
દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. નવા કેસ અને રિકવરી વચ્ચેનો સમન્વય રાજકોટમાં નવા કેસ સામે આવી રહ્યા હોવા છતાં રિકવરી રેટમાં થઈ રહેલો વધારો સંતોષજનક છે. આ દર્શાવે છે કે આરોગ્યતંત્ર કોરોનાના
સંક્રમણને નિયંત્રિત કરવા અને દર્દીઓને ઝડપથી સાજા કરવામાં સફળ રહ્યું છે. વહેલું નિદાન, યોગ્ય સારવાર અને દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ કોરોનાને હરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. આ
પરિસ્થિતિમાં નાગરિકોની પણ મોટી જવાબદારી રહેલી છે. કોરોનાથી બચવા માટે સરકારે આપેલી ગાઇડલાઇનનું પાલન કરવું અત્યંત જરૂરી છે. હિંમતનગર સિવિલના 3 ડોક્ટર કોરોનાગ્રસ્ત જ્યારે હિંમતનગર સિવિલ
હોસ્પિટલમાં રવિવારે કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસ નોંધાયા છે, જેમાં 26 વર્ષીય મહિલા રેસિડેન્ટ ડૉક્ટર, 36 વર્ષીય પુરુષ મેડિકલ ઓફિસર અને 22 વર્ષીય પુરુષ ઈન્ટર્ન ડૉક્ટરનો સમાવેશ થાય છે. છેલ્લા
ત્રણ દિવસમાં કુલ સાત કેસ નોંધાયા છે, તેમાંથી પાંચ કેસ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સના છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગુજરાતમાં શનિવારે (7 જૂન)સાંજ સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ચૂકી
છે, જેમાં 29 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 793 હોમ આઈસોલેશનમાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 78 દર્દી સ્વસ્થ થઈ જતાં ડિસ્ચાર્જ કરાયા છે. ગુજરાતમાં અન્ય રાજ્યની સરખામણીએ કોરોનાના
કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો હોઈ, રાજ્ય સરકાર પણ એલર્ટ બની છે. આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે અમે કોવિડ માટે સંપૂર્ણ તૈયાર છીએ. હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર અને ICU બેડની વ્યવસ્થા કરી લેવામાં આવી
છે. દેશમાં કોરોનાની સ્થિતિ 8 જૂન સુધીમાં દેશમાં કોરોના કેસની સંખ્યા 6081 સુધી પહોંચી ચૂકી છે. અત્યારસુધીમાં 61 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. દેશમાં દરરોજ સરેરાશ 400 નવા કેસ નોંધાઈ રહ્યા છે અને
5થી 6 લોકોનાં મોત નોંધાઈ રહ્યાં છે. છેલ્લા અઠવાડિયામાં જ કોરોનાના કેસમાં 3045 અને મોતમાં 52નો વધારો થયો છે. વડોદરામાં 6 મહિનાનું બાળક કોરોના પોઝિટિવ શનિવારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 6
મહિનાનું એક બાળક કોરોના પોઝિટિવ થતાં આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યું હતું. સયાજી હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે બાળકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં દાખલ કરાયું છે, તેની સ્થિતિ સ્ટેબલ
છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા: * સ્વ-નિરીક્ષણ અને સાવચેતી: હોમ આઈસોલેશનમાં રહેલી વ્યક્તિઓએ પોતાના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ ચાલુ રાખવું જોઈએ. જો તેમને શ્વાસ લેવામાં
તકલીફ, છાતીમાં દુખાવો અથવા અન્ય કોઈ ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. * કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર: ખાંસી કે છીંક ખાતી વખતે નાક અને મોઢું ઢાંકવું, જાહેર
સ્થળોએ થૂંકવાનું ટાળવું, વારંવાર સાબુથી હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જેવા કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. * સુરક્ષાનાં પગલાં: કો-મોર્બિડ કન્ડિશન ધરાવતા લોકો
(જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ વગેરે) અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ અથવા આવી જગ્યાએ ફરજિયાતપણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. * ગભરાશો
નહીં, સાવચેતી રાખો: આરોગ્ય નિષ્ણાતોના મતે કોવિડના કેસોમાં દર 6થી 8 મહિને વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળતો હોય છે, આથી ગભરાવાની જરૂર નથી, પરંતુ "સાવચેતી એ જ સમજદારી છે" ના સૂત્રને યાદ
રાખીને તકેદારી રાખવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે.